નર્મદામાં ભાજપની હાર બાદ ભડકો: મનસુખ વસાવાએ નેતાઓને ‘કઠપૂતળી’ અને ‘રાક્ષસી વૃત્તિવાળા’ ગણાવ્યા
By Abp

Photo: Abp
AI Key Highlights
- Mansukh Vasava attack:નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જે પરાજય વેઠવો પડ્યો છે, તેના કારણે હવે પાર્ટીમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે
Mansukh Vasava attack:નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જે પરાજય વેઠવો પડ્યો છે, તેના કારણે હવે પાર્ટીમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભાજપના મનોમંથન દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા સંગઠનના નેતાઓ પર પોતાનો બળાપો કાઢતા ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જિલ્લાના નેતાઓની વિરોધ પક્ષના નેતા ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે અને જો તેમનામાં લડવાની ક્ષમતા ન હોય તો તેમણે તાત્કાલિક પદ છોડી દેવું જોઈએ. મનસુખ વસાવાએ જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરીને 'કઠપૂતળી' જેવા ગણાવ્યા હતા, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર આકરા પ્રહાર કરતા તેમને 'રાક્ષસી વૃત્તિ'વાળા ગણાવ્યા હતા.
Was this story interesting?


