'પત્નીના મૃતદેહને પ્રાણીઓને બાળી નાખવાની ભઠ્ઠીમાં સળગાવી દીધો', શું છે આખી ઘટના?
By BBC Gujarati

Photo: BBC Gujarati
જાપાનમાં સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે દેશના એક જાણીતા પ્રાણીસંગ્રહાલયના કર્મચારીએ પોલીસને કહ્યું કે તેમણે તેમનાં પત્નીના મૃતદેહને પ્રાણીસંગ્રહાલયની ભઠ્ઠીમાં ફેંકી દીધો છે. આ પ્રાણીસંગ્રહાલય અશાહીયામા અશાહીકાવા શહેરમાં આવેલું છે અને ત્રણ અઠવાડિયાં માટે મેન્ટેનન્સ માટે બંધ રખાયું છે. બ્રેક બાદ જાપાનના ગોલ્ડન વીક હોલીડેઝ દરમિયાન મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાવાનું હતું. જોકે, સ્થાનિક તંત્રે જણાવ્યું છે કે પ્રાણીસંગ્રહાલય આ મામલાની તપાસ ચાલુ છે ત્યારે શુક્રવાર સુધી બંધ રહેવાનું હતું.
Was this story interesting?


