સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8મા પગાર પંચમાં નિવૃત્તિ પછી 50% પેન્શનની માંગણી
By Abp

Photo: Abp
8th Pay Commission update:કેન્દ્ર સરકારના 8મા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) સાથે જોડાયેલા લાખો કર્મચારીઓએ પોતાની નિવૃત્તિ સુરક્ષાને લઈને અવાજ ઉઠાવ્યો છે. ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશન (AINPSEF) દ્વારા 8મા પગાર પંચ સમક્ષ એક મોટો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેમાં માંગ કરવામાં આવી છે કે કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમના છેલ્લા પગારના 50 ટકા જેટલી રકમ ગેરંટીડ પેન્શન તરીકે અને સાથે મોંઘવારી ભથ્થું (DA) મળવું જોઈએ. હાલની NPS સિસ્ટમ શેરબજાર પર આધારિત હોવાથી કર્મચારીઓમાં આર્થિક અસલામતીનો ડર છે, જેથી તેઓ નિવૃત્તિ પછીના સુરક્ષિત ભવિષ્ય માટે નિશ્ચિત પેન્શનની માંગ કરી રહ્યા છે.
Was this story interesting?





