બ્રાહ્મણ સમાજ પર ટિપ્પણી મામલો: સુરત પોલીસ એક્શનમાં, ભારતીય ન્યાય સંહિતા હેઠળ બોલિવૂડ ડિરેક્ટર ઘેરાયા

Photo: Gujju Media
- ફિલ્મમેકર અનુરાગ કશ્યપ વિરુદ્ધ સુરત કોર્ટનો આકરો આદેશ – બ્રાહ્મણ સમાજ પર આપત્તિજનક ટિપ્પણી બદલ નોંધાશે ફોજદારી ગુનો હિન્દી સિનેમા જગતના જાણીતા અને વિવાદાસ્પદ ફિલ્મ નિર્માતા-અભિનેતા અનુરાગ કશ્યપ ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ખરાબ રીતે ફસાયા છે
ફિલ્મમેકર અનુરાગ કશ્યપ વિરુદ્ધ સુરત કોર્ટનો આકરો આદેશ – બ્રાહ્મણ સમાજ પર આપત્તિજનક ટિપ્પણી બદલ નોંધાશે ફોજદારી ગુનો હિન્દી સિનેમા જગતના જાણીતા અને વિવાદાસ્પદ ફિલ્મ નિર્માતા-અભિનેતા અનુરાગ કશ્યપ ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ખરાબ રીતે ફસાયા છે. પોતાની ફિલ્મો કરતાં પોતાના આપત્તિજનક અને આકરા નિવેદનોના કારણે હેડલાઇન્સમાં રહેતા અનુરાગ કશ્યપને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ્ઞાતિ આધારિત ટિપ્પણી કરવી ભારે પડી ગઈ છે. ગુજરાતના સુરતની એક સ્થાનિક અદાલતે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક લખાણ લખવા અને સમાજમાં તણાવ પેદા કરવાના ગંભીર મામલામાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફોજદારી ગુનો (Criminal Case) દાખલ કરવાનો પોલીસને સ્પષ્ટ અને કડક આદેશ આપ્યો છે. અદાલતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (અગાઉનું ટ્વિટર) પર કરવામાં આવેલી વિવાદાસ્પદ પોસ્ટ અંગે દાખલ કરાયેલી એક ખાનગી ફરિયાદ પર સુનાવણી હાથ ધર્યા બાદ આ મોટો ચુકાદો આપ્યો છે.
Was this story interesting?





