અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે

By Abp
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે

Photo: Abp

Ambalal Patel Weather Forecast:ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટા રાહતના સમાચાર આપ્યા છે. તેમની નવી આગાહી મુજબ, રાજ્યમાં બહુ જલ્દી પ્રિ-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે. આગામી 29 મેથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, જેનાથી તાપમાનનો પારો નીચે જશે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે. આ ઉપરાંત, કેરળમાં ચોમાસાની એન્ટ્રી અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તારીખો અંગે પણ તેમણે મહત્વપૂર્ણ અંદાજ વ્યક્ત કર્યો છે.