એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે કે નહીં? ચેન્નાઈ સુપર કિંગ્સના બોલિંગ કોચે આપ્યો આવો જવાબ

Photo: indian express
- ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના બોલિંગ કોચ એરિક સિમોન્સે જણાવ્યું છે કે અનુભવી વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ક્યારે મેદાનમાં વાપસી કરશે તે નિર્ણય ધોની પોતે જ લેશે.
- 44 વર્ષીય ધોની પગની ઈજાના કારણે આ IPL સિઝનમાં એક પણ મેચ રમી શક્યો ન હતો, જેના કારણે તેને દોડવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી.
- જોકે, સિમોન્સે પુષ્ટિ કરી કે ધોનીએ નેટ્સમાં તેની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા.
- સિમોન્સે ભારપૂર્વક જણાવ્યું કે ધોની હંમેશા વ્યક્તિગત સિદ્ધિઓ કરતાં ટીમના હિતને પ્રાધાન્ય આપે છે.
- જો તેને ખાતરી હશે કે તે સંપૂર્ણપણે ફિટ નથી, તો તે રમશે નહીં, પરંતુ જો તે ફિટ હશે, તો તે ચોક્કસપણે ટીમ માટે રમશે.
MS Dhoni : 44 વર્ષીય ધોની પગની ઈજાના કારણે આઇપીએલની આ સિઝનમાં એક પણ મેચ રમી શક્યો ન હતો. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે ધોની હંમેશા વ્યક્તિગત સિદ્ધિઓ કરતાં ટીમના હિતને પ્રાધાન્ય આપે છે 44 વર્ષીય ધોની પગની ઈજાના કારણે આઇપીએલની આ સિઝનમાં એક પણ મેચ રમી શક્યો ન હતો Photograph: (@ChennaiIPL) MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના બોલિંગ કોચ એરિક સિમોન્સે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની ક્યારે વાપસી કરશે તેનો નિર્ણય અનુભવી વિકેટકિપર-બેટ્સમેન પોતે જ લેશે. 44 વર્ષીય ધોની પગની ઈજાના કારણે આઇપીએલની આ સિઝનમાં એક પણ મેચ રમી શક્યો ન હતો, જોકે સિમોન્સે કહ્યું કે તેણે નેટ્સમાં તેની બેટીંગથી પ્રભાવિત કર્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ધોની આવતા વર્ષ માટે ઉપલબ્ધ રહેશે તો સિમોન્સે કહ્યું કે તમે આ સવાલ મને પૂછી રહ્યા છો?
Was this story interesting?





