વિરાટ કોહલીએ કહ્યું, 'કાં તો પહેલા દિવસે જ કહી દો કે મારી જરૂર નથી'
By BBC Gujarati

Photo: BBC Gujarati
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન અને આઈપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુમાંથી રમતા વિરાટ કોહલીએ આવતા વર્ષે યોજાનારા વન-ડે વર્લ્ડકપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેમણે કહ્યું છે કે 'જ્યાં મારું મહત્ત્વ નહીં જળવાય, ત્યાં હું રહેવાનું પસંદ કરીશ નહીં. ' આઈપીએલ ફ્રૅન્ચાઇઝી રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુના પોડકાસ્ટમાંવિરાટ કોહલીએ કહ્યું, "હું ભારતીય ટીમમાં મારા સ્થાનને લઈને, બાબતોને વધુ જટિલ બનાવવા માંગતો નથી. જો મારે સતત મારી યોગ્યતા સાબિત કરવી પડે, તો તે માહોલ મારા માટે નથી.
Was this story interesting?





