કૅનેડાએ એવા કયા નિયમોમાં ફેરફાર કર્યો જે ત્યાં વસવાટ કરવા માટે જતા લોકોને અસર કરશે

By BBC Gujarati
કૅનેડાએ એવા કયા નિયમોમાં ફેરફાર કર્યો જે ત્યાં વસવાટ કરવા માટે જતા લોકોને અસર કરશે

Photo: BBC Gujarati

કૅનેડાની સરકારે ઇમિગ્રેશનની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાના આશય સાથે કૅનેડિયન સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સ પરની દેખરેખ વધુ ચુસ્ત બનાવવા માટે નવા નિયમોની જાહેરાત કરી છે. નવા નિયમો 15મી જુલાઈ, 2026થી અમલમાં આવશે. કૅનેડાની સરકારના જણાવ્યા પ્રમાણે, આ પગલું છેતરપિંડી અને ગેરમાહિતી સામે અરજીકર્તાઓને રક્ષણ પૂરું પાડવા માટે અને પારદર્શિતા વધારવા માટે ભરવામાં આવી રહ્યું છે. હવે, આ નવા નિયમો કયા હશે, આ નિયમો તમને કેવી રીતે મદદ કરી શકે છે અને ભારતના અરજીકર્તાઓ વિશે કૅનેડાની સરકાર શું વિચારી રહી છે, તેની જાણકારી આપણે આ અહેવાલમાં મેળવીશું.